વ્યક્તિગત સરકારી યોજનાઓ, ગુજરાત સરકાર

ગુજરાત રાજ્યના છેવાડાના માનવીને એની અસહાયતાના નિવારણને ટોચઅગ્રતા આપી તેના ઉત્કર્ષલક્ષી વિચારધારાની પ્રેરણાથી કોઈપણ જાતની મુશ્કેલી વિના સરળતાથી તેને સરકારી યોજનાકીય લાભોની માહિતી પ્રાપ્ત કરી શકે તે આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ વેબસાઈટ પર ગુજરાત સરકારના કુલ ૧૨ વિભાગોની કુલ ૧૬૧ યોજનાઓની માહિતી આપવામાં આવી છે. આ વેબસાઈટ પર દરેક વ્યક્તિ વિભાગવાર વિવિધ યોજનાની માહિતી મેળવી શકે છે. તમેજ તે કઈ યોજના માટે પાત્રતા ધરાવે છે તે જાણી શકે છે.

વ્યક્તિ પોતાની ઉમર, જાતિ, જ્ઞાતિ, શૈક્ષણિક લાયકાત, રાશન પ્રકાર, વ્યવસાય, વાર્ષિક આવક વગેરેના આધારે પોતે ગુજરાત સરકારની કઈ કઈ યોજનાનો લાભ મેળવી શકે તે જાણી શકે છે. દરેક યોજનાનો લાભ મેળવવા માટે લાયકાતના ધોરણો, ફોર્મ સાથે જોડવાના આધારપુરાવાની યાદી, જે તે વિભાગ-કચેરીના સંપર્કની માહિતી, અરજી કેવી રીતે કરવી તેની જાણકારી સરળતાથી મેળવી શકે છે.

આશા રાખીએ કે જરૂરિયાતમંદ દરેક વ્યક્તિને આ વેબસાઈટના માધ્યમથી મહત્તમ સરકારી યોજનાના લાભ મેળવવામાં ઉપયોગી પુરવાર થાય.

(કેયુર.સી.સં૫ટ I.A.S.)
કલેકટર અનેજિલ્લા મેજીસ્ટ્રેટ
સરુેન્દ્રનગર જિલ્લો